ભાવનગર મંડળની 7 જોડી ટ્રેનોને મળ્યો વધારાનો સ્ટોપ,
યાત્રિયોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય દ્વારા, ભાવનગર મંડળના વિવિધ સ્ટેશનો પર કુલ 7 જોડી ટ્રેનોના વધારાના સ્ટોપની જાહેરાત
ભાવનગર મંડળની 7 જોડી ટ્રેનોને મળ્યો વધારાનો સ્ટોપ,


ભાવનગર 17 સપ્ટેમ્બર (હિ.સ.)

ભાવનગર આ સુવિધાનું ઔપચારિક ઉદ્ઘાટન 19 સપ્ટેમ્બર, 2025 (શુક્રવાર)ના રોજ સવારે 11:30 વાગ્યે નવાગઢ (Navagadh) રેલવે સ્ટેશન ખાતે એક સાદગીપૂર્ણ સમારંભમાં કરવામાં આવશે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી મુજબ આ વધારાના સ્ટોપોથી મુસાફરોને મુસાફરીમાં વધુ સુવિધા મળશે તેમજ આસપાસના વિસ્તારોના મુસાફરોને ઉત્તમ રેલ સેવા ઉપલબ્ધ થશે.

વધારાના સ્ટોપની વિગતો :

ક્રમાંક

ટ્રેન નંબર

ક્યાંથી – ક્યાં સુધી

ચાલવાના

દિવસો

વધારાનો સ્ટોપ

1

11463/11464/

11465/11466

વેરાવળ – જબલપુર – વેરાવળ

દરરોજ

નવાગઢ

2

59560/59557

ભાવનગર – પોરબંદર – ભાવનગર

દરરોજ

રાણાવાવ

3

19251/19252

વેરાવળ – ઓખા – વેરાવળ

દરરોજ

નવાગઢ

4

19319/19320

વેરાવળ – ઈન્દોર – વેરાવળ

બુધવાર

નવાગઢ

5

12945/12946

વેરાવળ – બનારસ – વેરાવળ

સોમવાર / ગુરૂવાર

જેતપુર

6

19204/19203

વેરાવળ – બાંદ્રા – વેરાવળ

શુક્રવાર / રવિવાર

જેતપુર

પશ્ચિમ રેલવે યાત્રિયોને વિનંતી કરે છે કે આ સુવિધાનો લાભ ઉઠાવો અને સલામત તથા સુખદ મુસાફરી કરો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande