ગીર સોમનાથ 17 સપ્ટેમ્બર (હિ.સ.)
સુત્રાપાડા તાલુકાના કણજોતર ગામે આજે સવારે વીજ વિભાગ દ્વારા હાથ ધરાયેલા વીજ ચેકિંગ અભિયાન દરમિયાન અચાનક તંગદિલી સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ આ હુમલામાં વિભાગના બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમને તરત જ સુત્રાપાડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઘટના અંગે વીજ વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવા સુત્રાપાડા પોલીસ સ્ટેશન પહોંચી છે. સામેવાળાની તરફથી પણ ફરિયાદ દાખલ થવાની માહિતી સામે આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ