આસારામની આરતી મામલો, આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે: આરએમઓ
સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)- નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર ટેબલ ઉપર આસારામનો ફોટો રાખી તેની આરતી કરવાના બનાવને પગલે ભારે વિવાદ સર્જાયો છે.એટલું જ નહીં હોસ્પિટલના અધિકારીઓને પણ આ ઘટનામાં જવાબ આપતા ભારે પડી ગયી ગઈ છે.અને આખો મામલ
આસારામની આરતી


સુરત, 24 સપ્ટેમ્બર (હિ.સ.)- નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ સ્ટેમસેલ બિલ્ડિંગના ગેટ પર ટેબલ ઉપર આસારામનો ફોટો રાખી તેની આરતી કરવાના બનાવને પગલે ભારે વિવાદ સર્જાયો છે.એટલું જ નહીં હોસ્પિટલના અધિકારીઓને પણ આ ઘટનામાં જવાબ આપતા ભારે પડી ગયી ગઈ છે.અને આખો મામલો ચર્ચાનો કેન્દ્ર બનવાની સાથો સાથ ઉપર સુધી પહોચ્યો છે.ફ્રૂટ વિતરણ કરવાની આડમાં આસારામના કેટલાક ભક્તો ફોટો મૂકી આરતી કરવા લાગ્યા હતા,જોકે આ મામલામાં વધું એક ચોંકાવનારી વાત સામે આવી છે.એવું જાણવા મળ્યું છે કે આસારામના ભક્તો પહેલાથીજ ઈરાદાપૂર્વક અને હોસ્પિટલના આરએમઓ,સીએમઓ તથા સિક્યુરિટી સહીત તમામને ગેરમાર્ગે દોરી અને અંધારામાં રાખી કોઈને ખબર નહીં પડે તેવા પ્લાનિંગ સાથે આસારામની તસ્વીરને પૂઠાંની પેકીંગમાં લઈને આવ્યા હતા.તસ્વીર પેકીંગમાં હોવાથી શરૂઆતમાં કોઈને કશું જ ખબર નહીં હતી,પંરતુ બાદમાં જ્યારે આ તસ્વીર બહાર કાઢી ટેબલ ઉપર મૂકીને આરતી કરવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્રશ્યો જોઈને ચોકી ગયો અને તાત્કાલિક આ અંગે પોતાના ઉપરીને જાણ કરી હતી.

નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.કેતન નાયકએ જણાવ્યું હતું કે ગઈ કાલની જે ઘટના છે,એ નિંદનીય છે .જોકે આ દિશામાં કડક પગલામાં લેવાં આવ્યા છે. આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તે માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે,જે મુજબ હવે કોઈ પણ સંસ્થા,ગ્રુપ હોય તેને સુપ્રિટેન્ડેન્ટ પાસેથી લેખિતમાં પરમિશન લેવાની રહેશે.સુપ્રિટેન્ડેન્ટના સીન્ગેચર પછી જ વિતરણ કરવાની અનુમતિ આપવામાં આવશે.આ સિવાય દરેક વોર્ડના યુનિટ હેડ,ઇન્ચાર્જ સિસ્ટર,ક્લિનિકલ વિભાગને સૂચના આપવામાં આવી છે કે આ રીતના કોઈ પણ કાર્યર્કમ અંગે જાણ કરવાની રહેશે.વધુમાં આરએમઓએ એવું પણ જણાવ્યું હતું કે આસારામની આરતીના કાર્યક્રમ જે લોકોએ ગોઠવ્યું હતું તેઓ આસારામના ભક્ત છે કે ગ્રુપના છે એ બાબતે અમને કોઈ જાણ નહીં હતી,તે લોકોએ ફ્રૂટ વિતરણની પરમિશન માંગી હતી.જોકે તેઓ ઈરાદાપૂર્વક આસારામની તસ્વીર વીંટાળીને છુપાવીને લાવ્યા હતા.આ અંગે તપાસ કર્યા બાદ ખબર પડી છે.આ સિક્યુરિટીની જવાબદારીમાં આવે છે. આ પ્રકરણમાં ઘટનાના સમય જે ગાર્ડ હાજર હતા તેમને તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે. આ સિવાય સિક્યુરિટી હેડ આર.કે.સીંગે જણાવ્યું હતું કે જયારે આસારામના ભકતો આવ્યા હતા.ત્યારે તેઓ આસારામની તસ્વીર પૂઠાંની પેકીંગમાં લઈને આવ્યા હતા.જેથી ત્યારે કઈ ખબર નહીં પડી હતી,અને જયારે તેઓ આરતી કરવા લાગ્યા હતા. ત્યારે તસ્વીરને ઘેરી લીધા હતા.જેથી પાછળ જે લોકો હતા તેમને પણ બરાબર કઈ દેખાતું નહીં હતું. જોકે અમારા સિક્યુરિટી ગાર્ડેએ જયારે ટેબલ ઉપર આસારામની તસ્વીર જોઈ એટલે તાત્કાલિક મને ધ્યાન દોર્યું હતું.અને હું ત્યાં પહોચ્યોં હતો.અને ત્યાર બાદ આ સમગ્ર કાર્યક્રમ બંધ કરાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande