જામનગર : મહંત પૂ. કૃષ્ણમણિજીની નિશ્રામાં નીકળી શોભાયાત્રા
જામનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ’છોટીકાશી’ કહેવાતા જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્ય પીઠ ’પ નવતનપુરીધામ’ ખીજડા મંદિરનાં દેશ - વિદેશમાં લાખો અનુયાયીઓ છે. આ સંપ્રદાયનાં વિસ્તારમાં જેમનો સિંહફાળો છે એવા બ્રહ્મલીન મહામતિ પ્નારાણથજીનાં પ્રાગટ્
કૃષ્ણ પ્રણામી સંપ્રદાય


જામનગર, 24 સપ્ટેમ્બર (હિ.સ.) : ’છોટીકાશી’ કહેવાતા જામનગરમાં આવેલ કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આચાર્ય પીઠ ’પ નવતનપુરીધામ’ ખીજડા મંદિરનાં દેશ - વિદેશમાં લાખો અનુયાયીઓ છે. આ સંપ્રદાયનાં વિસ્તારમાં જેમનો સિંહફાળો છે એવા બ્રહ્મલીન મહામતિ પ્નારાણથજીનાં પ્રાગટ્ય મહોત્સવનું વર્તમાન મહંત પૂ. કૃષ્ણમણિજી મહારાજની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્રિ દિવસીય મહોત્સવ અંતગર્ત વિવિધ ધર્મકાર્ય યોજાયા હતા.

પરંપરાગત રીતે થતા તારતમ પારાયણમાં સૈંકડો અનુયાયીઓ જોડાયા હતાં. સુંદરસાથ ભાવિકોની વિરાટ ઉપસ્થિતિમાં મહાઆરતી યોજાઇ હતી. પૂ. કૃષ્ણમણિજી મહારાજ ઉપરાંત પૂ. જગતરાજજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, આસામનાં પૂ. નારાયણ સ્વામીજી, પૂ. દિવ્યચૈતન્યજી મહારાજ, પૂ. ચંદનસૌયભજી મહારાજ સહિતનાં સંતોનાં પાવન સાંનિધ્યમાં ખીજડા મંદિરે કળશ પૂજન તથા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત ગણેશ ફળીમાં આવેલ મહામતિ પ્રાણનાથજીનાં જન્મસ્થાન મેડી મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

મહોત્સવનાં ઉપક્રમે વિશાળ શોભાયાત્રા પણ નીકળી હતી. જે ખીજડા મંદિરથી આરંભ થઇ હવાઇ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદી બજાર, ગણેશ ફળી - પ્રાણનાથજી મેડી મંદિર,સજુબા હાઇસ્કૂલ, રણજીત રોડ, બેડી ગેઇટ, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ તથા હવાઇ ચોક થઇ ખીજડા મંદિરે પરત પહોંચી પૂર્ણ થઇ હતી. શોભાયાત્રાનું માર્ગમાં ઠેર - ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મહામતિ પ્રાણનાથજીનો જન્મ લોહાણા સમાજમાં થયેલ હોય રઘુવંશી સમાજ પણ મહોત્સવમાં શ્રદ્ધાપૂર્વક જોડાયો હતો અને સમાજનો એક ફ્લોટ રાખવામાં આવ્યો હતો તથા રઘુવંશી સમાજનાં હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને મહંત કૃષ્ણમણિજીની વંદના કરવામાં આવી હતી.સત્યનારાયણ મંદિર રોડ પર સત્યનારાયણ મંદિરનાં મુખ્યાજી તથા સેવકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ હતું.મુખ્યાજી દ્વારા પૂ. કૃષ્ણમણિજીને ખેસ ઓઢાડી તથા પ્રસાદ આપી તેમનું અભિવાદન કરી ધર્મોત્સવનાં આયોજન બદલ સાધુવાદ પાઠવવામાં આવ્યો હતો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટીઓ મનસુખભાઇ સંઘાણી, ગૌતમભાઇ ઠક્કર, શશિભાઇ મિત્તલ સહિતનાં હોદ્દેદારો તથા સ્વયંસેવકોએ પરીશ્રમ યજ્ઞ કર્યો હતો. કિંજલભાઇ કારસરીયા સહિતનાં લોકોએ શોભાયાત્રાનાં સંકલનની વ્યવસ્થા સંભાળી હતી. ૧૫ થી વધુ ફ્લોટ્સવાળી શોભાયાત્રાનાં નગરભ્રમણથી સનાતન ધર્મનાં શ્રી કૃષ્ણ સમર્પિત સંપ્રદાયની યાત્રાની ઝાંખી પરમ ચેતનાને ’પ્રણામ’ રૂપ બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande