પાટણ, 28 સપ્ટેમ્બર (હિ.સ.): પાટણના કેનાલ રોડ પર આવેલી શ્રી વિહાર સોસાયટીમાં આ વર્ષે પ્રથમ વખત નવદુર્ગા પૂજનનું ખાસ આયોજન થયું. નાની બાળાઓને માતાજીના નવ સ્વરૂપોમાં સજવવામાં આવીને આ અનોખો તહેવાર ઉજવાયો.
માતાજીનું સ્વરૂપ ધારણ કરેલી બાળાઓ ગરબાના મેદાનમાં પ્રવેશીને ગરબા રમીને આખા પરિસરનું વાતાવરણ ધાર્મિક બનાવી દીધું. આ દૃશ્ય સોસાયટીના રહીશો માટે વિશેષ આકર્ષણ બન્યું.
સોસાયટીના આગેવાનોનું કહેવું છે કે આ પ્રકારની પરંપરા બાળકોમાં સંસ્કૃતિ અને ધાર્મિક મૂલ્યોનું સિંચન કરશે. શ્રી વિહાર સોસાયટીની આ પહેલ પરંપરાગત ગરબા ઉત્સવને એક નવો ધાર્મિક આયામ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ