ગીર સોમનાથ 3 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઈ.જી.પી નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથ પોલીસ અધીક્ષક જયદીપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓ દ્રારા ગુન્હા/વોરંટ ના કામે પોલીસ પકડ થી બચવા નાસતા ફરતા આરોપી ઓને પકડી અસરકારક કામગીરી કરવા અંગે સુચના થઇ આવેલ છે.
જે અન્વયે તાલાલા પો.સ્ટે ના પો.ઇન્સ જે.એન.ગઢવી નાઓ દ્રારા નામદાર કોર્ટ ની ન્યાયીક પ્રક્રીયા ની આવગણના કરી વોરંટ/સજાવોરંટ ના કામે પોલીસ પકડ થી બચવા નાસતા ફરતા ઇસમો ને પકડી તેના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અંગે સુચના થઇ આવેલ હોય જે અન્વયે પો.સબ.ઇન્સ પી.વી.ધનેશા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આકોલવાડી ઓપી બીટ વિસ્તાર ના એ.એસ.આઇ કેશવભાઇ બબાભાઈ વાદી તથા મનોજગીરી દીલીપગીરી તથા પો.કોન્સ સંજયભાઇ વીરાભાઈ તથા મેણસીભાઈ ઉકાભાઈ જાદવ તથા શૈલેષભાઇ ઓધડભાઈ એ.રીતેના પો.સ્ટાફ ના માણસો એ ટીમ વર્ક ની મદદ થી બાતમી હકીકત ના આધારે નીચે જણાવેલ ઇસમોને સજા વોરંટ ના કામે નીચે જણાવેલ ઇસમોને પકડી જેલ હવાલે કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે.
અનુ. પકડાયેલ ઇસમનુ નામ
1
દીપકભાઇ દામજીભાઈ કાનાણી ઉ.વ. ૩૫ રહે. વૃંદાવન શેરી આંકોલવાડી તા તાલાલા મો.નં ૯૬૦૧૭ ૮૫૯૭૭
સજાની વિગત
ફેમીલી કોર્ટ ઉના ના ફો.પ.અ. નં ૩૬૦/૨૦૨૫ ના સજા વોરંટ ના કામે મજકુર ઇસમ ને તકસીર વાન ઠેરાવી ૩૭૫ દીવસ ની સાદી કેદની સજા કરવામા આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ