જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમથી પ્રભાવિત, સંદેશમાં લખ્યું - મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ પ્રેરણા આપે છે
અમદાવાદ, 12 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ આજે સવારે અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભ
મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ પ્રેરણા આપે છે


જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમથી પ્રભાવિત


અમદાવાદ, 12 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ આજે સવારે અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આત્મનિર્ભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો.

તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે.

આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. આજે સવારે તેમણે જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

જે બાદ વડાપ્રધાન મોદી સહિત જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande