'સોમનાથ સ્વાભિમાન પર્વ' મોબાઈલ ફ્લેશલાઈટથી ઉતારવામાં આવી ઉમાપતિ ભોળાનાથની આરતી
ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ''માં સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થઈ રહ્યાં છે. કલાકારોએ પોતાના પર્ફોર્મન્સથી ભગવાન શિવની મહિમા વર્ણવતા ''હે સોમેશ્વર દેવ ભોળિયા....આરતી રોજ ઉતરતી'' નું ભક
ફ્લેશલાઈટથી ઉતારવામાં આવી ઉમાપતિ ભોળાનાથની આરતી


ગીર સોમનાથ, 15 જાન્યુઆરી (હિ.સ.) : સોમનાથ સ્વાભિમાન પર્વ'માં સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં તરબોળ થઈ રહ્યાં છે. કલાકારોએ પોતાના પર્ફોર્મન્સથી ભગવાન શિવની મહિમા વર્ણવતા 'હે સોમેશ્વર દેવ ભોળિયા....આરતી રોજ ઉતરતી' નું ભક્તિગીત રજૂ કર્યું હતું.

આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાવિકોએ મનમાં શ્રદ્ધાનો ભાવ રાખી દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ મહાદેવની મોબાઈલ ટૉર્ચ ફ્લેશલાઈટથી આરતી ઉતારી હતી.

આમ, ભાવિકોનો ઉત્સાહ એ દર્શાવે છેકે, 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો સંસ્કૃતિ અને આદ્યાત્મિક ચેતનાના પ્રસરણ માટે મહત્વનું માધ્યમ બન્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande