ભાવનગર મંડલના મંડલ રેલ પ્રબંધકે ટિકિટ તપાસમાં ઉત્તમ કાર્ય કરનાર 13 કર્મચારીઓને સન્માનિત કર્યા
ભાવનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં ટિકિટ તપાસ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર 13 કર્મચારીઓને મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા નગદ ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મંડલના વરિષ્ઠ અધિકારીઓ હાજર ર
ટિકિટ તપાસમાં ઉત્તમ કાર્ય કરનાર 13 કર્મચારીઓને સન્માનિત


ભાવનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં ટિકિટ તપાસ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર 13 કર્મચારીઓને મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા નગદ ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે મંડલના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા.

આ અંગે ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ભાવનગર મંડલના ટિકિટ તપાસ કર્મચારીઓ ખૂબ જ જવાબદારી અને નિષ્ઠાપૂર્વક પોતાના કર્તવ્યોનું પાલન કરી રહ્યા છે. આ કર્મચારીઓ માત્ર મુસાફરોની યાત્રાને સરળ બનાવવામાં જ નહીં, પરંતુ રેલવેની આવક વધારવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમણે માહિતી આપી કે ભાવનગર મંડલ દ્વારા એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન ઉત્તમ પ્રદર્શન સાથે કુલ ₹5.09 કરોડની આવક પ્રાપ્ત કરવામાં આવી છે, જ્યારે માત્ર એપ્રિલ 2025 મહિનામાં જ ₹77.23 લાખની આવક નોંધાઈ છે.

મંડલ રેલ પ્રબંધક દ્વારા સન્માનિત કરવામાં આવેલા કર્મચારીઓના નામ આ મુજબ છે – આઈ. બી. મુન્શી (રિઝર્વેશન સુપરવાઈઝર, ગાંધીગ્રામ), ધ્રુવ અમીન (સીનિયર સીસી/ટીસી, ગાંધીગ્રામ), યોગેન્દ્ર સિંહ (સીસી/ટીસી, જુનાગઢ), આર. એમ. ચૌહાણ (મુખ્ય વાણિજ્ય લિપિક, ભાવનગર), વી. એન. જાડેજા (રિઝર્વેશન સુપરવાઈઝર, જુનાગઢ), શૈલેષ બી. પરમાર (ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક, ગાંધીગ્રામ), અરવિંદ કુમાર ગુર્જર (ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક, વેરાવળ), કે. સી. મીણા (મુખ્ય ટિકિટ નિરીક્ષક, ગાંધીગ્રામ), પ્રેમચંદ (સીનિયર સીસી/ટીસી, ગાંધીગ્રામ), રાજન કુમાર સિંહ (મુખ્ય ટિકિટ નિરીક્ષક, વેરાવળ), આર. પી. મેઘવંશી (મુખ્ય ટિકિટ સંગ્રાહક, બોટાદ), જે. પી. મકવાણા (મુખ્ય ટિકિટ નિરીક્ષક, બોટાદ) અને અમોદ કુમાર (સીસી/ટીસી, બોટાદ). મંડલ રેલ પ્રબંધક દિનેશ વર્માએ તમામ સન્માનિત કર્મચારીઓના કાર્યની પ્રશંસા કરી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી. સાથે જ તેમણે ભવિષ્યમાં પણ આ રીતે ઉત્તમ પ્રદર્શન જાળવી રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande