બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર - શાહીબાગ, અમદાવાદ દ્વારા યોજાયો, વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ
અમદાવાદ, 05 જાન્યુઆરી (હિ.સ.) : ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. ભારતની યજ્ઞપરંપરા શીખવે છે કે, સર્વ કંઈ ભગવાનને અર્પણ કરીને ભોગવો, ત્યાગીને ભોગવો.યજ્ઞ એ જીવનને ઊર્ધ્વમાર્ગ તરફ લઈ જતી શક્તિ છે. યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્
વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ


વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ


વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ


અમદાવાદ, 05 જાન્યુઆરી (હિ.સ.) : ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. ભારતની યજ્ઞપરંપરા શીખવે છે કે, સર્વ કંઈ ભગવાનને અર્પણ કરીને ભોગવો, ત્યાગીને ભોગવો.યજ્ઞ એ જીવનને ઊર્ધ્વમાર્ગ તરફ લઈ જતી શક્તિ છે. યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક છે. યજ્ઞ એ જીવનનો અમૂલ્ય લહાવો છે. સનાતન શાસ્ત્રોમાં પણ યજ્ઞનો અપાર મહિમા કહ્યો છે જેમકે

'યજ્ઞમાં અર્પણ કરીને પ્રસાદ લેનાર મોક્ષ પામે છે.'- શ્રીમદ્ ભગવદ્ ગીતા

'યજ્ઞ એ પરમાત્માનું સ્વરૂપ છે.'- ઉપનિષદ

ગુજરાત સદૈવ જેમનું ઋણી છે એવા ભગવાન સ્વામિનારાયણે, ગામોગામ અહિંસક યજ્ઞો કરાવીને ભારતીય સંસ્કૃતિની યજ્ઞીય પરંપરાનો ખૂબ મહિમા વધાર્યો છે. તેમની ગુણાતીત ગુરુપરંપરાએ પણ એ જ યજ્ઞીય પરંપરાને વિસ્તારી છે.

આજથી ૨૧૫ વર્ષ પૂર્વે, પોષી પૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી.

તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર - શાહીબાગ સામે, યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રમુખ વાટિકા ખાતે કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં જુદા જુદા વિસ્તારના હજારો હરિભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.

આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં જુદા જુદા મંડપમ બનાવવામાં આવ્યા હતા, જેવા કે, ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખસ્વામી મહારાજ મંડપમ તેમજ મહંત સ્વામી મહારાજ મંડપમ. આ તમામ મંડપોમાં કુલ મળીને ૪૦૦ જેટલા યજ્ઞકુંડમાં આશરે ૧૨૦૦૦ થી વધુ વ્યક્તિઓએ યજ્ઞકુંડમાં આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો, જેમાં આશરે ૫ લાખથી વધુ હોમાત્મક દ્રવ્યોથી અર્ધ્ય તેમજ ૫૦ લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી.

વિવિધ પ્રસંગો તથા નિમિત્ત અર્થે જેવા કે નૂતન લગ્ન પ્રસંગ, માતૃ-પિતૃ મોક્ષાર્થે, તન-મન-ધન સમૃદ્ધિ, પ્રગટ ગુરૂહરિ પ્રસન્નતા, યજ્ઞોપવિત ધારણ, માનસિક સ્થિરતા વગેરે માટે હજારો યજમાન હરિભક્તો - ભાવિકો આ યજ્ઞવિધિમાં જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande