
ગીર સોમનાથ, 07 જાન્યુઆરી (હિ.સ.)ગીર સોમનાથ આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ વિશ્વના લોકપ્રિય નેતા અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પધારવાના છે. આ ભવ્ય કાર્યક્રમના સુચારુ આયોજન માટે કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક અગત્યની બેઠક યોજાઈ. આ બેઠક નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષ સ્થાને સંપન્ન થઈ હતી.
બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો:
રાજેશભાઈ ચુડાસમા (પ્રદેશ ઉપાધ્યક્ષ અને સાંસદ)
માનસિંહભાઈ પરમાર (પ્રદેશ પ્રમુખ, બક્ષીપંચ મોરચો)
જશાભાઈ બારડ (પૂર્વ કેબિનેટ મંત્રી)
રાજશીભાઈ જોટવા (પૂર્વ ધારાસભ્ય)
કે. સી. રાઠોડ (ધારાસભ્ય)
ગોવિંદભાઇ પરમાર ( પૂર્વ ધારાસભ્ય)
ઝવેરીભાઈ ઠકરાર (પૂર્વ પ્રદેશ મંત્રી)
ચુનીભાઇ ગોહેલ (પૂર્વ સાંસદ)
ડૉ. સંજયભાઈ પરમાર (ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ)
કિરીટભાઈ પટેલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢ
મહેન્દ્રભાઈ પીઠીયા પૂર્વ જિલ્લા પ્રમુખ
દિલીપભાઈ બારડ(જિલ્લા ભાજપ મહામંત્રી)
આ બેઠકમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, મંડળના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના અનેક ઉત્સાહી કાર્યકર્તા ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથના સ્વાભિમાનના આ પર્વને ભવ્યાતિભવ્ય બનાવવા માટે સૌ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ