બગસરા તાલુકાના ખારી ગામે ગ્રામપંચાયતના રૂ. ૨૫ લાખના ખાતનું ખાતમુહૂર્ત યોજાયું
અમરેલી,08 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામ મુકામે ગ્રામ વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ આયોજન યોજાયું હતું. ખારી ગ્રામપંચાયતના અંદાજિત રૂ. ૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ રૂપિયા)ના ખાતનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્ર
બગસરા તાલુકાના ખારી ગામે ગ્રામપંચાયતના રૂ. ૨૫ લાખના ખાતનું ખાતમુહૂર્ત યોજાયું


અમરેલી,08 જાન્યુઆરી (હિ.સ.)

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામ મુકામે ગ્રામ વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ આયોજન યોજાયું હતું. ખારી ગ્રામપંચાયતના અંદાજિત રૂ. ૨૫,૦૦,૦૦૦ (પચીસ લાખ રૂપિયા)ના ખાતનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના વિકાસકાર્યો માટે જરૂરી નાણાંકીય પ્રક્રિયાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જે.વી. કાકડિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, તાલુકા ભાજપ મહામંત્રી દેવરાજભાઈ રાંક, તેમજ પ્રકાશભાઈ પરમાર, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ખારી ગામના સરપંચશ્રી, ગ્રામપંચાયતના સભ્યો, ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ ગ્રામ વિકાસ, પાયાની સુવિધાઓ, રસ્તા, પાણી, સ્વચ્છતા અને અન્ય લોકહિતના કાર્યો માટે આ ખાતું મહત્વપૂર્ણ સાબિત થશે તેવી વાત કરી હતી. ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે ગ્રામપંચાયત સક્રિય ભૂમિકા ભજવશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ખારી ગામ માટે આ ખાતમુહૂર્તને વિકાસના નવા પ્રારંભ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના થકી આવનારા સમયમાં ગામના સર્વાંગી વિકાસને વેગ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande