પોરબંદર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓનું ચેકીંગ
પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સુચનાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કડીયા પ્લોટ, નવો કુંભારવાડા વિસ્તારમાં પાણીપુરીના ધંધાર્થીઓના રહેણાંક/ખાદ્યચીજોના બનાવવાના સ્થળે તપાસણી કરવામાં આવી હતી. જેમાં ચેકીંગ
મનપા ના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓનું ચેકીંગ.


મનપા ના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓનું ચેકીંગ.


મનપા ના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓનું ચેકીંગ.


મનપા ના આરોગ્ય વિભાગ દ્વારા પાણીપુરીના ધંધાર્થીઓનું ચેકીંગ.


પોરબંદર, 09 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સુચનાનુસાર આરોગ્ય વિભાગ દ્વારા શહેરના કડીયા પ્લોટ, નવો કુંભારવાડા વિસ્તારમાં પાણીપુરીના ધંધાર્થીઓના રહેણાંક/ખાદ્યચીજોના બનાવવાના સ્થળે તપાસણી કરવામાં આવી હતી.

જેમાં ચેકીંગ દરમ્યાન ધંધાર્થીઓને સ્વચ્છતા રાખવા ખાદ્યચીજો બનાવવા માટે ઉપયોગમાં લેવાતુ પાણી સ્વચ્છ અને પીવાલાયક પાણીનો ઉપયોગ કરવા, વાસી ખાદ્યપદાર્થ ન રાખવા તેમજ સડેલા અને અખાદ્ય પદાર્થનો ઉપયોગ ન કરવા, ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવા વિગેરે જરૂરીયાત મુજબની સુચનાઓ આપી અને આ અંગેની નોટીસો આપવામાં આવેલ. તેમજ ચેકીંગ દરમ્યાન વાસી સડેલા બટેટા, ડુંગળીનો 10 કિલો જથ્થો નાશ કરાવેલ. તેમજ 11 ધંધાર્થીઓ પાસેથી રૂા. 5500/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande