
સોમનાથ 09 જાન્યુઆરી (હિ.સ.) ગીર સોમનાથ ખાતે યાત્રાળુઓએ પ્રતિભાવ આપ્યા હતા.
આ અંગે તાપી જિલ્લાના અક્ષય પંચાલ એ જણાવ્યું કે અમને આપવામાં આવેલી સુવિધાના લીધે સારી રીતે દર્શન થઈ શકશે. આ અવસરમાં સહભાગી થવાનો આનંદ છે.
સુરતના રહેવાસી હેલી બહેન રાઠોડ એ જણાવ્યું હતું કે અહીંયા ટ્રેનમાં યાત્રા દરમિયાન સારી સુવિધા મળી. સ્ટેશન થી મંદિર સુધી જવાની બસમાં વ્યવસ્થા છે, જેથી સરળતાથી દર્શન થઈ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ