
પોરબંદર, 10 માર્ચ (હિ.સ.) પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે 11 માર્ચ ના રોજ સવારે 09:00 થી સાંજે 05:00 કલાક દરમિયાન'સેવા સેતુ કાર્યક્રમ 2.0' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવાસેતુ કાર્યક્રમ પંચાયત ઓફિસ,માધવપુર ખાતે યોજાશે જેમાં ગ્રામજનોને એક જ સ્થળેથી આધાર કાર્ડમાં સુધારા-વધારા, આયુષ્માન કાર્ડની કામગીરી, રેશન કાર્ડને લગતી સેવાઓ તેમજ વિધવા અને વિકલાંગ સહાય યોજનાની અરજીઓ સહિતની વિવિધ સરકારની સેવાઓ પૂરી પાડવામાં આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં માધવપુર,મુળ-માઘવપુર, પાતા, ચિંગરીયા, મંડેર, કડછ,ગોરસર, મોચા, બળેજના ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya