
જુનાગઢ 15 માર્ચ (હિ.સ.) કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ આજે બાંટવા નગરપાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડીંગ ઉપરાંત બાંટવા શહેરના અન્ય વિકાસ કાર્યો લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું, આ ઉપરાંત કેશોદ અને માણાવદર વિધાનસભા મતવિસ્તારના જન સુખાકારી અને જનસુવિધાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ અંદાજે ૮.૪૩ કરોડના કુલ ૧૩૯ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ