



પોરબંદર, 11 માર્ચ (હિ.સ.) : પોરબંદર નજીક આવેલા ધરમપુર ગામ વિસ્તારમાં જાડી ઝાંખરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની પાંચ સભ્યોની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે બપોરે આશરે એક વાગ્યે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી અને અંદાજે દોઢ કલાકની જહેમત બાદ 12 હજાર લીટર પાણીનો મારો ચલાવી લાગેલી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya