
સુરત, 11 માર્ચ (હિ.સ.) : સુરત જિલ્લા પ્રાકૃતિક કૃષિ બોર્ડ હેઠળ ચોર્યાસી તાલુકાના વાંસવા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ હતી. જેમાં CRP પ્રતિમાબેન, BTM કમલેશભાઈ અને માસ્ટર ટ્રેનર જયેશભાઈ દ્વારા ખેડૂતોને દેસી ગાય આધારિત પ્રાકૃતિક ખેત પદ્ધતિ, ફાયદા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સાથે જ આ ખેતીમાં થતાં ન્યુનતમ ખર્ચની સામે મળતા મહત્તમ લાભ વિષે માહિતગાર કરાયા હતા. સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી જમીન, પાક સહિત સમગ્ર પર્યાવરણને થતાં લાભો જણાવી રસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે