વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 2000 માળાનું વિતરણ: પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ
મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સજીવ સેતુ સંસ્થાએ પક્ષી સંરક્ષણ માટે સરાહનીય કામગીરી કરી છે. સંસ્થાની તરફથી કુલ 2000 ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું, જેમાં શહેરની વિવિધ શાળાઓ અને વિસ્તારોને આવરી લેવામાં આવ્યા
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 2000 માળાનું વિતરણ: પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ


વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 2000 માળાનું વિતરણ: પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ


વિશ્વ ચકલી દિવસ નિમિત્તે 2000 માળાનું વિતરણ: પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ


મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સજીવ સેતુ સંસ્થાએ પક્ષી સંરક્ષણ માટે સરાહનીય કામગીરી કરી છે. સંસ્થાની તરફથી કુલ 2000 ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું, જેમાં શહેરની વિવિધ શાળાઓ અને વિસ્તારોને આવરી લેવામાં આવ્યા.

આ કાર્યક્રમ અંતર્ગત સવારે 10:30 કલાકે ટીપી રોડ, દ્વારકાપુરી ફ્લેટ નજીક આવેલી સરકારી શાળામાં માળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સવારે 11:45 કલાકે રાધનપુર રોડ પર આવેલી એક્ષોટીકા સ્કૂલમાં વિતરણ યોજાયું. આ ઉપરાંત ગુરુકુલ સ્કૂલ રાધનપુર રોડ અને રેમ્બો સ્કૂલમાં પણ માળા આપવામાં આવ્યા.

વિગતો મુજબ એક્ષોટીકા સ્કૂલમાં 1100 માળા, સરકારી શાળામાં 300 માળા અને રેમ્બો સ્કૂલમાં 60 માળાનું વિતરણ થયું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ચકલી સહિતના નાના પક્ષીઓને સુરક્ષિત રહેઠાણ મળી રહે અને તેમની સંખ્યા વધે તેવો છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લીધો અને પોતાના આસપાસ માળા લગાવવાનો સંકલ્પ કર્યો. આ પહેલ દ્વારા પર્યાવરણ જાળવણી અને પક્ષી સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande