
જામનગર, 22 માર્ચ (હિ.સ.) :
જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં આજથી 11 માસ પહેલાં એક સગીરાના અપહરણ અને દુષ્કર્મ અંગેનો એક ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી તરીકે કાયદાથી સંઘર્ષિત કિશોર (ટાબરીયા) નું નામ ખુલ્યું હતું, અને તે આરોપી નાસ્તો ફરતો રહ્યો હતો. અને પોતાના વતનમાં મધ્યપ્રદેશ ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
ઉપરોક્ત આરોપીને પકડવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ દોડધામ કરી રહી હતી. દરમિયાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી અને આરોપીના મધ્ય પ્રદેશમાં આવેલા રહેણાંક વિસ્તારની આજુબાજુની વોચ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લાના આંબલી પાડા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો હતો, અને કાલાવડ લઈ આવ્યા બાદ તેને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે. જ્યાં તેની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt