
ગીર સોમનાથ 23 માર્ચ (હિ.સ.) ઉના તાલુકાના સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાનું અનાવરણ કરવાનું હોય તે અનુસંધાને ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ સનખડા ગામે વીર હમીરસિંહજી ગોહિલ ની પ્રતિમાની જગ્યાનું સ્થળ નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ધારાસભ્ય એ સરપંચ તેમજ સમાજના મુખ્ય આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી. આ તકે સનખડા ગામના સરપંચ રવિભાઈ રાઠોડ, ક્ષત્રિય સમાજના અગ્રણી અજુભાઈ ગોહિલ (ભગીરથવાળા), તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય ભાવુભાઈ ચાવડા, તાલુકા ભાજપ મહામંત્રી હસમુખભાઈ ગોહિલ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ