લાડોલ હરસિદ્ધિ ધામમાં સુવર્ણ પરંપરાનો પ્રારંભ, હવે મા શક્તિને સુવર્ણ થાળમાં રાજભોગ
મહેસાણા, 23 માર્ચ (હિ.સ.) : અંબાજી અને બહુચરાજી બાદ હવે મહેસાણા જિલ્લાના લાડોલ સ્થિત મા હરસિદ્ધિ ધામમાં પણ સુવર્ણ પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં ગણાતા આ મંદિરે ટૂંક સમયમાં માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવ
લાડોલ હરસિદ્ધિ ધામમાં સુવર્ણ પરંપરાનો પ્રારંભ, હવે મા શક્તિને સુવર્ણ થાળમાં રાજભોગ


લાડોલ હરસિદ્ધિ ધામમાં સુવર્ણ પરંપરાનો પ્રારંભ, હવે મા શક્તિને સુવર્ણ થાળમાં રાજભોગ


મહેસાણા, 23 માર્ચ (હિ.સ.) : અંબાજી અને બહુચરાજી બાદ હવે મહેસાણા જિલ્લાના લાડોલ સ્થિત મા હરસિદ્ધિ ધામમાં પણ સુવર્ણ પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં ગણાતા આ મંદિરે ટૂંક સમયમાં માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની ભવ્ય શરૂઆત કરવામાં આવશે. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને દાતાઓના સહયોગથી અંદાજે ₹1.25 કરોડના ખર્ચે આ વિશિષ્ટ સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે. આ થાળ માત્ર તેની ભવ્યતા માટે જ નહીં પરંતુ તેની પાછળ રહેલી ભક્તોની આસ્થાનું પ્રતીક બની રહ્યો છે. તેની કલાત્મક રચના અને ઝગમગાટી ભક્તોને આકર્ષિત કરશે.

આ નવી પરંપરાનો પ્રારંભ ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે કરવામાં આવશે. આ દિવસે પ્રથમ વખત મા હરસિદ્ધિને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. અત્યાર સુધી આવી પરંપરા માત્ર મોટા શક્તિપીઠોમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે લાડોલમાં પણ આ અનોખી પરંપરા શરૂ થવાથી મંદિરનું મહત્વ વધુ વધશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande