જામનગરમાં ફૂડ શાખા દ્વારા 56 કિલો આખાદ્ય પદાર્થનો નાશ
જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્રારા શહેરમાંથી ખાણીપીણીના નમુના લેવામાં આવ્યા હતા. તેમજ અનેક હોટલ રેસ્ટોરન્ટને નિયમનું પાલન કરવાની સુચના આપવામાં આવી હતી . જ્યારે કુલ 56.5 કિલો અખાદ્ય પદાર્થો નો નાશ કરવામાં આવ્યો
ફૂડ શાખા


જામનગર, 10 એપ્રિલ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્રારા શહેરમાંથી ખાણીપીણીના નમુના લેવામાં આવ્યા હતા. તેમજ અનેક હોટલ રેસ્ટોરન્ટને નિયમનું પાલન કરવાની સુચના આપવામાં આવી હતી .

જ્યારે કુલ 56.5 કિલો અખાદ્ય પદાર્થો નો નાશ કરવામાં આવ્યો હતો. ઉનાળાની સીઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા ના કમિશ્નર ડી.એન.મોદી ની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તાર માંથી બરફ (2), શેરડી નો રસ (3), ફાલુદો, લીંબુ સોડા તેમજ રેસિડેન્શિયલ ઝોન, દરેડ માંથી ફાઈનલ વોટર (લુઝ) (6) સર્વેલન્સ ખાદ્ય પદાર્થના કુલ 13 નમુના લઈ પરીક્ષણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ઢીંચડા, જામનગર ખાતે બેકટેરીયોલોજીકલ તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યે થી નિયમો મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકાર ની સુચના અનુસાર જામનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ 20 હોટેલ રેસ્ટોરન્ટમાં જામનગર મહાનગરપાલિકા ના.ફૂડ વિભાગ ની ટીમ ધ્વારા રૂબરૂ મુલાકાત લઇ રેસ્ટોરન્ટમાં વેજ/નોનવેજ નું પોસ્ટર/સિમ્બોલ લગાડવું તથા જે પનીર/એનાલોગ/ચીઝ જે વાપરતા હોય તેનું કસ્ટમરને વંચાય તેમ સ્પષ્ટ બોર્ડ લગાડવું. રૂલ્સનું બોર્ડ લગાડવું તથા કયું તેલ વાપરો છો ? તે બોર્ડમાં સ્પષ્ટ દર્શાવવું વગેરે જેવી સુચનાઓ આપવામાં આવેલ.

તેમજ 116/જી.આઈ.ડી.સી રોડ, ફેઝ-ના દરેડ ખાતે થી ઉત્પાદક પેઢી માંથી પનીર (લુઝ), ચીઝ એનાલોગ (લુઝ) બે ખાદ્ય પદાર્થ ના નમુના લઇ ચકાસણી અર્થે ફૂડ ડ્રગ લેબોરેટી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.

તેમજ કમિશ્નર ગાંધીનગર ની સુચના અનુસાર જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોટેલ/ધાબા/રેસ્ટોરન્ટ/ફાસ્ટફૂડ ની લારીઓ વગેરે માં જામનગર મહાનગરપાલિકા ની ફૂડ વિભાગ ની ટીમ ધ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ ને સાથે રાખી 9 ફાસ્ટ ફૂડ પેઢી/રેકડી માં પનીર/એનાલોગ/ ચીઝ જે વાપરતા હોય તેનું કસ્ટમરને વંચાય તેમ સ્પષ્ટ બોર્ડ લગાડવું, ના રૂલ્સનું બોર્ડ લગાડવું તથા કયું તેલ વાપરો છો ? તે બોર્ડમાં સ્પષ્ટ દર્શાવવું.

વગેરે સુચના આપવામાં આવેલ. જામનગર મહાનગરપાલિકા ની ફૂડ.વિભાગ ની ટીમ ધ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ, હોટલ-રેસ્ટોરન્ટ, સ્ટોલ પર રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતા કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા. ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, વાસી ખોરાક ન રાખવા વગેરે બાબતે સુચનાઓ આપવામાં આવેલ. ચેકિંગ દરમ્યાન અલગ અલગ પેઢીઓ માંથી આશરે 56.5 કિલોગ્રામ - ખાદ્ય પદાર્થ/ડેરી એનાલોગ/ચીઝસ્પ્રેડ/વેજફેટ વગેરે મળી આવતા નાશ કરાવવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande