
ભાવનગર, 10 એપ્રિલ (હિ.સ.) ભારત સરકારના સંચાર સાથી પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લાના કુલ 8 અરજદારોના ગુમ અથવા ચોરી થયેલા મોબાઇલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા છે. રીકવર કરાયેલા મોબાઇલ ફોનની કુલ કિંમત અંદાજે રૂપિયા 1,48,000 જેટલી થાય છે.
માહિતી મુજબ ફરિયાદોના આધારે એલ.સી.બી. ટીમે ટેકનિકલ વિશ્લેષણ તેમજ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. સતત મહેનત અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પોલીસે ગુમ થયેલા મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કરી તેમને અલગ-અલગ સ્થળોએથી રીકવર કરવામાં સફળતા મેળવી હતી.આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ સ્ટાફે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ પ્રયત્નો કર્યા હતા.રીકવર થયેલા તમામ મોબાઇલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. પોતાના ગુમ થયેલા મોબાઇલ ફરી મેળવતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને તેમણે પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીથી સામાન્ય નાગરિકોમાં વિશ્વાસ મજબૂત બન્યો છે કે પોલીસ તંત્ર તેમની સુરક્ષા અને સંપત્તિની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. સંચાર સાથી પ્રોજેક્ટના માધ્યમથી ભવિષ્યમાં પણ આવા ગુનાઓ સામે અસરકારક પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT