સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન
અમદાવાદ, 13 એપ્રિલ (હિ.સ.) : આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન


અમદાવાદ, 13 એપ્રિલ (હિ.સ.) : આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ 'SVAP' કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાનનો પ્રારંભ 13 એપ્રિલના રોજ પ્રાર્થના સભામાં મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવશે. 15 થી 18 એપ્રિલ દરમિયાન શાળાઓમાં નિબંધ, વકતૃત્વ, સ્લોગન લેખન, ચિત્રકલા અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા મતદાનનું મહત્વ સમજાવશે. ટેકનિકલ જાગૃતિ માટે 16 એપ્રિલના રોજ ELC ક્લબ દ્વારા EVM મશીન વિશે સમજ આપવામાં આવશે.

મતદાર જાગૃતિના આ પર્વને વધુ વેગ આપવા માટે 21 એપ્રિલે વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો અને 22 એપ્રિલે જન જાગૃતિ રેલી તથા માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓ અને સમગ્ર સમાજમાં મતદાન અંગે સકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર (SVAP) દ્વારા તમામ શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને આ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાઈ 26 એપ્રિલના રોજ મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો કરવા સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande