



પોરબંદર, 13 એપ્રિલ (હિ.સ.) : ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિતે પોરબંદરમાં મહારેલીનું વિવિધ સમિતિઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અન્વયે જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાની સૂચના મુજબ શહેર ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની આગેવાની હેઠળ કમલાબાગ પો.સ્ટે. ખાતે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી હતી. જેમાં આયોજકો સાથે રેલીનો રૂટ, રેલીમાં લોકોની સંખ્યા, કઈ રેલી ક્યારે શરૂ અને ક્યારે પૂર્ણ થાય તે અંગે તથા પોલીસ બંદોબસ્ત અંગે ચર્ચા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya