સાવરકુંડલામાં કાઠી વિદ્યાર્થી ભવનમાં લાઈબ્રેરી હોલનું લોકાર્પણ, પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો સત્કાર
અમરેલી,4 એપ્રિલ (હિ.સ.) સાવરકુંડલા ખાતે દરબાર શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ (શેલણા) કાઠી વિદ્યાર્થી ભવનમાં નવી લાઈબ્રેરી હોલનું લોકાર્પણ ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા તેમજ સાંસદ ભરત સુતરિયા ખાસ હાજર રહ્યા હતા અને સ
સાવરકુંડલામાં કાઠી વિદ્યાર્થી ભવનમાં લાઈબ્રેરી હોલનું લોકાર્પણ, પ્રથમ બેચના વિદ્યાર્થીઓનો સત્કાર


અમરેલી,4 એપ્રિલ (હિ.સ.) સાવરકુંડલા ખાતે દરબાર શ્રી પીઠાબાપુ વાજસુરબાપુ ખુમાણ (શેલણા) કાઠી વિદ્યાર્થી ભવનમાં નવી લાઈબ્રેરી હોલનું લોકાર્પણ ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયા તેમજ સાંસદ ભરત સુતરિયા ખાસ હાજર રહ્યા હતા અને સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પ્રથમ બેચના વિદ્યાર્થીઓના સત્કાર સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના પરિશ્રમ, સંઘર્ષ અને સિદ્ધિઓને સરાહવામાં આવી હતી. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ભવિષ્ય માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મંત્રી અને સાંસદે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે આવી પહેલો સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે અને યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે. નવી લાઈબ્રેરી હોલ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉત્તમ સુવિધાઓ પૂરી પાડશે, જે તેમના શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande