અખાત્રીજ નિમિત્તે સાળંગપુરમાં ભવ્ય આમ્રોત્સવ: 2000 કિલો કેરીથી અન્નકૂટ, હજારો ભક્તોની ઉપસ્થિતિ.
બોટાદ,19 એપ્રિલ (હિ.સ.)અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર દાદાના દરબારમાં વિશેષ રૂપે 2000 કિલો કેરીનો અન્નકૂટ
મંદિર


બોટાદ,19 એપ્રિલ (હિ.સ.)અખાત્રીજના પવિત્ર પર્વ નિમિત્તે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભવ્ય આમ્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર દાદાના દરબારમાં વિશેષ રૂપે 2000 કિલો કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને આ પવિત્ર દિવસે કરવામાં આવેલા અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું. ભજન-કીર્તન અને ધૂનના કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ વધુ ધાર્મિક બન્યું હતું.આમ્રોત્સવને અનુલક્ષીને મંદિરમાં સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. કેરીથી સજાવટ કરાયેલ અન્નકૂટ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો, જેની ઝાંખી ભક્તો માટે વિશેષ આકર્ષણ બની હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોને પ્રસાદ રૂપે કેરીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્વયંસેવકો દ્વારા સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.આમ, અખાત્રીજના પવિત્ર પર્વે સાળંગપુરમાં ઉજવાયેલ આમ્રોત્સવે ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું સુંદર દ્રશ્ય સર્જ્યું હતું, જેમાં હજારો ભક્તોએ હાજરી આપી આ પાવન પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande