છત્તીસગઢના કાંકેર જિલ્લાની રાઈસ મિલમાં ભીષણ આગ લાગી, લાખોનું નુકસાન
કાંકેર, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.): છત્તીસગઢના કાંકેર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુલગાંવમાં ગઈ મોડી રાત્રે આશરે 2 વાગ્યે અજીબી એગ્રો રાઈસ મિલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મોટી માત્રામાં બારદાન અને ડાંગરને નુકસાન થયું છે. હાલમ
રાઈસ મિલમાં ભીષણ આગ લાગી


કાંકેર, નવી દિલ્હી, 21 એપ્રિલ (હિ.સ.): છત્તીસગઢના કાંકેર જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુલગાંવમાં ગઈ મોડી રાત્રે આશરે 2 વાગ્યે અજીબી એગ્રો રાઈસ મિલમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મોટી માત્રામાં બારદાન અને ડાંગરને નુકસાન થયું છે. હાલમાં આગ લાગવાનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી.

માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે, તપાસ ચાલુ છે. ઘટના સાથે જોડાયેલા એક વાયરલ વીડિયોમાં ડાંગરના કોથળાઓમાં લાગેલી ભયાનક આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાઈસ મિલના માલિક મોહમ્મદ આવેશે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા છે, આ આગમાં ચોખા, ડાંગર અને ખાલી કોથળા બધું જ બળી ગયું છે, નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે.

કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે અને પ્રાથમિક માહિતી મુજબ તેમણે જણાવ્યું છે કે, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પ્રાથમિકતા આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવવાની અને કોઈ જાનહાનિ ન થાય તેની ખાતરી કરવાની છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અચાનક ધુમાડાના ગોટેગોટા ઉઠતા દેખાયા અને જોતજોતામાં આગે આખા ગોડાઉનને લપેટમાં લઈ લીધું. રાઈસ મિલમાં મોટી માત્રામાં ડાંગર અને બારદાન રાખવામાં આવ્યા હતા, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. આ અકસ્માતમાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા છે. સેંકડો કોથળા ડાંગર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસ અને વહીવટીતંત્ર મામલાની તપાસ કરી રહ્યા છે. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાના કારણો જાણવા માટે ટીમ બનાવીને શોર્ટ સર્કિટ, બેદરકારી કે અન્ય ટેકનિકલ કારણોની શક્યતા પર તપાસ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / ચંદ્ર નારાયણ શુક્લ / કેશવ કેદારનાથ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande