જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 પર ભારે ભૂસ્ખલન, બંને બાજુઓ બંધ
જમ્મુ, નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) કાશ્મીર ઘાટીને બાકીના ભારત સાથે જોડતો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-44 ભૂસ્ખલનને કારણે, બંધ થઈ ગયો છે. કરોલ બ્રિજ અને ચંદર કોટ વચ્ચે ભારે ભૂસ્ખલન થયું. આજે સવારે લગભગ ૩ વાગ્યે, પર્
રોસસહ


જમ્મુ, નવી દિલ્હી, 06 એપ્રિલ

(હિ.સ.) કાશ્મીર ઘાટીને બાકીના ભારત સાથે જોડતો જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય

ધોરીમાર્ગ-44 ભૂસ્ખલનને કારણે, બંધ થઈ ગયો છે. કરોલ બ્રિજ અને ચંદર કોટ વચ્ચે ભારે

ભૂસ્ખલન થયું. આજે સવારે લગભગ ૩ વાગ્યે, પર્વત પરથી ખડકો પડ્યા અને કાદવના ભૂસ્ખલનને કારણે, હાઇવેની

બંને બાજુઓ બંધ થઈ ગઈ.

હાલમાં, જમ્મુથી શ્રીનગર અને શ્રીનગરથી જમ્મુ જતા વાહનો વિવિધ

સ્થળોએ ફસાયેલા છે. આ 247 કિલોમીટર લાંબો હાઇવે, ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય

ધોરીમાર્ગ છે. તે જમ્મુથી શરૂ થતો આ માર્ગ, ઉધમપુર, રામબન (રામસુ) અને બનિહાલ થઈને શ્રીનગર સુધી જાય

છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande