
મુંબઈ, નવી દિલ્હી,06 એપ્રિલ (હિ.સ.) પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની નાણાકીય નીતિ સમિતિ (એમપીસી) એ આજે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે તેની પ્રથમ ત્રણ દિવસીય સમીક્ષા બેઠક શરૂ
કરી. આ સમીક્ષા બેઠક 6-8 એપ્રિલ સુધી
ચાલશે. અર્થશાસ્ત્રીઓ રેપો રેટ 5.25% પર રહેવાની અપેક્ષા રાખે છે.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં, આ બેઠક 8 એપ્રિલ સુધી
ચાલુ રહેશે, અને તે જ દિવસે
તેઓ બેઠકના નિર્ણયોની જાહેરાત કરશે. આ સમીક્ષા બેઠક નીતિગત વ્યાજ દર (રેપો રેટ)
અને ફુગાવા અંગે નિર્ણય લેશે. અર્થશાસ્ત્રીઓ માને છે કે વધતી જતી વૈશ્વિક
અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઇલના ઊંચા
ભાવ અને નાણાકીય દબાણ વચ્ચે આર્થિક દૃષ્ટિકોણનું મૂલ્યાંકન કરવા માટે આરબીઆઈ ની નાણાકીય સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય
બેંક રેપો રેટ 5.25% પર યથાવત રાખશે.
રેપો રેટ એ વ્યાજ દરનો ઉલ્લેખ કરે છે જેના પર આરબીઆઈ બેંકોને, ટૂંકા
ગાળાના નાણાં ઉછીના આપે છે. આની સીધી અસર લોન, ઇએમઆઈ, બચત અને રોકાણો
પર પડે છે. અગાઉ, ફેબ્રુઆરી 2026 માં યોજાયેલી
પાછલા નાણાકીય વર્ષની છેલ્લી MPC બેઠકમાં રેપો રેટ 5.25% પર સ્થિર રાખવામાં આવ્યો હતો. જોકે, રિઝર્વ બેંકે
ફેબ્રુઆરી 2025 થી રેપો રેટમાં
કુલ 1.25% ઘટાડો કર્યો છે.
છેલ્લો ઘટાડો ડિસેમ્બર 2025 માં થયો હતો, જ્યારે રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કરવામાં આવ્યો
હતો.
આરબીઆઈની નાણાકીય નીતિ
સમિતિમાં છ સભ્યો હોય છે. એમપીસી સામાન્ય રીતે ફુગાવાને નિયંત્રિત કરવા માટે
રેપો રેટ નક્કી કરે છે. તેના સભ્યોમાં આરબીઆઈના ત્રણ અધિકારીઓ
(ગવર્નર સહિત) અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ત્રણ બાહ્ય સભ્યોનો સમાવેશ થાય
છે. આ નાણાકીય વર્ષ માટે કુલ છ નાણાકીય સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીજી ૩ થી 5
જૂન, ત્રીજી ૩, 4 અને 5 ઓગસ્ટ, ચોથી 5, 6 અને 7 ઓક્ટોબર, પાંચમી 2, ૩ અને 4 ડિસેમ્બર અને છઠ્ઠી ૩, 4 અને 5
ફેબ્રુઆરી, 2૦27 ના રોજ
યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ