અમૃતસરમાં પાકિસ્તાનમાં બનેલા બે હેન્ડ ગ્રેનેડ ઝડપાયા, ત્રણની ધરપકડ
ચંડીગઢ, નવી દિલ્હી, 6 એપ્રિલ (હિ.સ.). પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ (સીઆઈ) વિંગે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં બે આર્ગસ હેન્ડ ગ્રેનેડ અને એક વિદેશી બનાવટની ગ્લોક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગ્રેનેડ પર પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્
પંજાબમાં હથિયારો ઝડપાયા


ચંડીગઢ, નવી દિલ્હી, 6 એપ્રિલ (હિ.સ.). પંજાબ પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ (સીઆઈ) વિંગે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં બે આર્ગસ હેન્ડ ગ્રેનેડ અને એક વિદેશી બનાવટની ગ્લોક પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગ્રેનેડ પર પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરી (પીઓએફ) ના નિશાન છે, જે હથિયારોના દાણચોરો સાથે સરહદ પારના સંબંધો દર્શાવે છે.

પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે સોમવારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ (પીઆઈઓ) ના આઈએસઆઈ સમર્થિત આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તરનતારનના અમ્મી શાહ ગામના રહેવાસી સરબજીત સિંહ, અમૃતસરના નાંગલ પન્નુઆન ગામના રહેવાસી બિક્રમજીત સિંહ અને અમૃતસરના ઇન્દિરા કોલોનીના રહેવાસી અમનદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મોડ્યુલ અનેક રાજ્યોમાં પોલીસ સંસ્થાઓને વ્યવસ્થિત રીતે નિશાન બનાવવામાં સામેલ છે, અને આરોપીઓની ધરપકડ સાથે, પોલીસે તેમની યોજનાઓને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધી છે. તેમણે જણાવ્યું હતું કે આ મોડ્યુલના અન્ય સભ્યોને ઓળખવા, ટ્રેક કરવા અને પકડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

એઆઈજી સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (એસએસઓસી), અમૃતસર, સુખમિંદર સિંહ માન, ઓપરેશનની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે, એસએસઓસી પોલીસ ટીમોએ સરબજીત સિંહ અને અમનદીપ સિંહની ધરપકડ કરી હતી અને તેમના કબજામાંથી હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જપ્ત કર્યા હતા. એઆઈજીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જૂથનો મુખ્ય ઓપરેટિવ અને પીઆઈઓનો પ્રાથમિક સંપર્ક બિક્રમજીત સિંહ, ગુજરાતના ડીસાથી કાર્યરત હતો. તેમણે જણાવ્યું હતું કે, આ માહિતી તાત્કાલિક એટીએસ ગુજરાત સાથે શેર કરવામાં આવી હતી, અને તેમના સક્રિય સહયોગથી, આરોપી, બિક્રમજીત સિંહની એસએસઓસી અમૃતસર ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

એઆઈજી સુખમિંદર માનએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે બધા આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પીઆઈઓના સંપર્કમાં હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આઈએસઆઈ હેન્ડલર્સની સૂચના પર કામ કરતું આ જૂથ, પંજાબ અને અન્ય રાજ્યોમાં વિવિધ પોલીસ સંસ્થાઓ પર ગ્રેનેડ હુમલા કરવાની યોજના બનાવી રહ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande