
નવી દિલ્હી, 06 એપ્રિલ (હિ.સ.) રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને સોમવારે સંસદ ભવનમાં ગૃહના 19 નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, ભાજપના રામરાવ વડકુટે, માયા ઇવનાતે અને જ્યોતિ વાઘમારે સહિત અન્ય નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા.
આજે શપથ લેનારાઓમાં મહારાષ્ટ્રથી રામદાસ બંધુ આઠવલે, માયા ચિંતામન ઇવનાતે, શરદચંદ્ર પવાર, રામરાવ સખારામ વડકુટે અને ડૉ. જ્યોતિ નાગનાથ વાઘમારેનો સમાવેશ થાય છે. તમિલનાડુથી ક્રિસ્ટોફર મણિકકમ, ડૉ. અંબુમણી રામદોસ, કોન્સ્ટેન્ટાઇન રવિન્દ્રન, એલ.કે. સુધીશ, ડૉ. એમ. થંબીદુરાઈ અને તિરુચી શિવનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાંથી બાબુલ સુપ્રિયો બરાલ, ડૉ. મેનકા ગુરુસ્વામી, રાજીવ કુમાર, રુક્મિણી મલ્લિક અને બિસ્વજીત સિંહાએ શપથ લીધા હતા. સંતરૂપ મિશ્રા, દિલીપ કુમાર રે અને મનમોહન સામલે ઓડિશામાંથી રાજ્યસભાના સભ્યો તરીકે શપથ લીધા.
હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ