સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો માટે 144 મુક્ત પ્રતીકો પસંદ કરી શકશે
- ચૂંટણી તંત્ર દ્વારા રમતગમત, ઘરેલું સાધનો, વીજળીના ઉપકરણો, ખાદ્ય પદાર્થો સહિતના 144 ચૂંટણી પ્રતીકો જાહેર કર્યા વડોદરા,09 એપ્રિલ (હિ.સ.) લોકશાહીનો મુખ્ય આધાર સ્તંભ છે ચૂંટણી પ્રક્રીયા.જેમાં નાગરિકો તેમને મળેલા મતદાનના બંધારણીય અધિકારનો ઉપયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવારો માટે 144 મુક્ત પ્રતીકો પસંદ કરી શકશે


- ચૂંટણી તંત્ર દ્વારા રમતગમત, ઘરેલું સાધનો, વીજળીના ઉપકરણો, ખાદ્ય પદાર્થો સહિતના 144 ચૂંટણી પ્રતીકો જાહેર કર્યા

વડોદરા,09 એપ્રિલ (હિ.સ.) લોકશાહીનો મુખ્ય આધાર સ્તંભ છે ચૂંટણી પ્રક્રીયા.જેમાં નાગરિકો તેમને મળેલા મતદાનના બંધારણીય અધિકારનો ઉપયોગ કરીને પોતાના પ્રતિનિધિને સંબંધિત સંસ્થાના સંચાલન માટે મોકલી આપે છે. ખાસ કરીને ભારતમાં ચૂંટણી પ્રક્રીયા બહુ રસપ્રદ અને વિશાળ છે.

આ પ્રક્રીયામાં મહત્વનું છે ચૂંટણી પ્રતીક ! રાજકીય પક્ષ, ઉમેદવાર ક્યાં પ્રતીક સાથે ચૂંટણીમાં સ્પર્ધા કરી રહ્યા છે ? એ પણ એટલું જ મહત્વનું છે.

હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રીયામાં 144 જેટલા મુક્ત ચૂંટણી પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે.

ચૂંટણી પ્રતીકોની રસપ્રદ વાત જાણતા પૂર્વે રાજકીય પક્ષોને ચૂંટણી પંચ દ્વારા મળતી માન્યતાને સમજવી જોઇએ. રાજકીય પક્ષોની નોંધણી ભારતના ચૂંટણી પંચમાં કરવામાં આવે છે. પણ, જે તે પક્ષને મળેલી બેઠકો, વોટશેરના આધારે તેને માન્યતા આપવામાં આવે છે.

રાષ્ટ્રીય કક્ષાના રાજકીય પક્ષ માટે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં રાજ્ય પાર્ટી તરીકેની માન્યતા મળેલી હોવી જોઇએ. ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાંથી લોકસભાની 2 ટકા બેઠકો ઉપર વિજેતા થયેલી હોવી જોઇએ. પાછલા લોકસભા, વિધાન સભાની ચૂંટણીમાં યોગ્ય મતોના 6 ટકા મતો મળેલા હોવા જોઇએ.

રાજ્ય કક્ષાના પક્ષ તરીકેની માન્યતા માટે વિધાનસભાની કુલ બેઠકોની બે ટકા બેઠકો અથવા લઘુત્તમ ત્રણ બેઠકો ઉપર પક્ષના ઉમેદવારો વિજેતા થયા હોવા જોઇએ. એક લોકસભાની બેઠક મળેલી હોવી જોઇએ.

છેલ્લી ચૂંટણીમાં માન્ય મતોના 8 કા મળેલા હોવા જોઇએ.

આ સિવાયના રાજકીય પક્ષો ચૂંટણી તંત્ર પાસે નોંધાયેલા તો હોય છે, પણ માન્યતા મળેલી નથી હોતી. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. 40 સ્ટાર કેમ્પેનેર રાખી શકે છે. જેનો ખર્ચ ઉમેદવારને બદલે પક્ષના ખાતામાં નોંધવામાં આવે છે.

ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી રાજકીય રીતે નથી યોજાતી. પણ તે સિવાયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષો પોતાના ચૂંટણી પ્રતીકો સાથે ઉમેદવારો સ્પર્ધામાં રાખે છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતે 14 માન્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષો, 46 અમાન્ય રાજકીય પક્ષોની ચૂંટણી પ્રતીકો અનામત રાખવામાં આવ્યા છે. અમાન્ય એટલે અધોલ્લેખિત જોગવાઇ મુજબ વોટ શેર ના હોય એવા પક્ષો !

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 144 મુક્ત પ્રતીકો જાહેર કરવામાં આવ્યા છે.

આ પ્રતીકોની યાદીમાં ચૂંટણી તંત્ર દ્વારા બહુ જ કાળજી રાખવામાં આવે છે. આ મુક્ત પ્રતીકોમાં ઘર અને રસોડાને લગતી વસ્તુઓના 14 પ્રતીકો, સાધનો અને વેપારને લગતા 18 પ્રતીકો, ખાદ્ય અને ખેતીને લગતા 14 પ્રતીકો, વીજળી ઉપકરણો 13 , રમતગમતના 10 અને વાહનોને લગતા 8 પ્રતીકો છે. ગુજરાતમાં એક સમય એવો હતો કે બેટ, ઉગતો સૂરજ, ખેડૂત જેવા મુક્ત પ્રતીકોની ઉમેદવારોમાં બહુ માંગ રહેતી હતી.

આવા પ્રતીકોના ડ્રો કરવામાં આવતા હતા. જો કે, હવે આવા પ્રતીકો અનામત થઇ ગયા છે અથવા યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande