
ગુવાહાટી, નવી દિલ્હી, 25 મે, (હિ.સ.) ભૂટાનના વડાપ્રધાન એચ.ઈ. ડાશો શેરિંગ તોબગે, આજે આસામની મુલાકાત લેશે. આ અંગે આસામ લોક ભવને સત્તાવાર સૂચના જાહેર કરી છે.
આસામ લોક ભવનના જણાવ્યા અનુસાર, ભૂટાનના વડાપ્રધાન તોબગેની મુલાકાતને ધ્યાનમાં રાખીને, સાંજે 6 વાગ્યે લોક ભવન સ્થિત શ્રીમંત શંકરદેવ હોલમાં એક ઔપચારિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અતિથિઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ