
ગીર સોમનાથ, 20 જૂન (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વેરાવળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના મહિલા ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મીડિયાના જૂદા-જૂદા મધ્યમથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ 95 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતાં. આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા ત્રિમૂર્તિ ઓટો-વેરાવળ, શક્તિ સુપર માર્ટ- વેરાવળ, એલ.આઈ.સી.ઓફ ઈન્ડિયા- વેરાવળ, આદિત્ય બિરલા લાઈફ ઈનશ્યોરન્સ- વેરાવળ અને બોનાન્ઝા સલૂન એકેડેમી-રાજકોટ નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.
જેમના દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે ઈન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. જેમાં હાજર રહેલ 95 ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 80 રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ રોજગારવાંચ્છુઓને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ્ઉપરાંત રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વાર કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ