મંગોલિયા અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે વિદેશ મંત્રી
નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, 22 થી 25 જૂન સુધી મંગોલિયા અને દક્ષિણ કોરિયાની સત્તાવાર મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ માહિતી આપી હતી. વિદેશ મંત્રી 22 અને 23 જૂને મંગોલિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ મં
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, 22 થી 25 જૂન સુધી મંગોલિયા અને દક્ષિણ કોરિયાની સત્તાવાર મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે સોમવારે આ માહિતી આપી હતી.

વિદેશ મંત્રી 22 અને 23 જૂને મંગોલિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ મંગોલિયાના નેતૃત્વ સાથે મુલાકાત કરશે અને તેમના સમકક્ષ વિદેશ મંત્રી બી. બટસેત્સેગ સાથે વાતચીત કરશે.

આ ઉપરાંત, તેઓ 24 અને 25 જૂને દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુન સાથે વાતચીત કરશે. તેઓ 25 જૂને જેજુ ખાતે 'શાંતિ અને સમૃદ્ધિ માટે જેજુ ફોરમ'માં મુખ્ય પ્રવચન પણ આપશે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande