


ગામના જ એક નાગરિકે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે
ગૌચર જમીન પર ગેરકાયદેસર કામગીરી, આરસીસી રોડ અને નવા ગ્રામ પંચાયત ભવનના બાંધકામમાં મોટાપાયે ગેરરીતિઓ થઈ હોવાની રાવ
જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અરજદારની રજૂઆત
ભરૂચ 25 જૂન (હિ.સ.)
પારખેત ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો, ગૌચર જમીનથી લઈ પંચાયતના નવા મકાન સુધી ગેરરીતિઓની તપાસની માંગ ઉગ્ર બની!
અરજી મુજબ પારખેત ગામની ગૌચર જમીનમાં આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ હોવા છતાં ત્યાં આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે પંચાયત દ્વારા કરાયેલા ઠરાવો, એસ્ટિમેટ, વર્ક ઓર્ડર તથા સંબંધિત અધિકારીઓની મંજૂરી સહિતના દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરી છે. ઉપરાંત એન.એ. થયેલા પ્લોટોમાં પણ પંચાયત દ્વારા રોડ, પાણીની લાઇન, સ્ટ્રીટલાઇટ જેવી સુવિધાઓ ઉભી કરાઈ હોવાના આક્ષેપ સાથે આ કામગીરી પાછળના ખર્ચ અને મંજૂરી પ્રક્રિયા અંગે પણ સવાલો ઉભા કરાયા છે. આ ઉપરાંત ગામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં પણ ગંભીર ગેરરીતિઓ થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બાંધકામમાં વપરાતું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાનું તથા યોગ્ય ટેક્નિકલ ધોરણોનું પાલન ન થતું હોવાના આક્ષેપો કરાયા છે. કામ દરમિયાન જરૂરી પાણીનો છંટકાવ ન થતો હોવા, યોગ્ય પ્રમાણમાં મટીરિયલનો ઉપયોગ ન થતો હોવા તેમજ ઉતાવળમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. જેના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે મહત્વનું એ છે કે અગાઉ પણ વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી, જેના આધારે કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને જરૂરી કાર્યવાહી કરી અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમ છતાં હજુ સુધી સંતોષકારક કાર્યવાહી ન થતા અરજદારે ફરીથી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરાવી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પારખેત ગામમાં પંચાયતની કામગીરી સામે ઉઠેલા આ ગંભીર આક્ષેપોએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે. હવે જિલ્લા વહીવટીતંત્ર અને વિકાસ વિભાગ આ મામલે કેટલી ઝડપથી અને કેટલી પારદર્શક રીતે તપાસ કરે છે. તેના પર સૌની નજર મંડાઈ છે. જો રજૂઆતોમાં કરાયેલા આક્ષેપો સાચા સાબિત થાય તો ગ્રામ વિકાસના નામે સરકારી નાણાંના દુરુપયોગ અને સત્તાના દુરુપયોગનો મોટો ભંડાફોડ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અત્રે નોંધનીય છે, કે અરજદાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હાલ સુધી કોઈ સરકારી વિભાગ દ્વારા કરવામાં આવી નથી. અને આ સમગ્ર મામલો તંત્રની તપાસનો વિષય છે. તેમ છતાં અરજદારે વિવિધ ફોટોગ્રાફ્સ, દસ્તાવેજો અને લેખિત રજૂઆતો સાથે કલેક્ટર કચેરી સહિત અનેક સરકારી વિભાગોનું ધ્યાન આ મુદ્દા તરફ દોરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા અને ચકચાર મચી છે.
અરજદાર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, મુખ્યત્વે ત્રણ મોટા પ્રોજેક્ટ્સ અને કામોમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે .ગૌચર જમીન પર ગેરકાયદે કામગીરી પશુઓ માટે અનામત રાખવામાં આવેલી સરકારી ગૌચર જમીન પર નિયમોને નેવે મૂકીને મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી છે.આર.સી.સી. રોડનું નબળું નિર્માણ કરવામાં આવ્યું છે .ગામમાં બનાવવામાં આવેલા આરસીસી રસ્તાના નિર્માણમાં ક્વોલિટી જાળવવામાં આવી નથી અને તેમાં મોટાપાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે.નવા પંચાયત ભવનનું બાંધકામ ખૂબ નબળું છે. ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં પણ સરકારી ધારાધોરણોનો ભંગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
બાંધકામમાં વપરાતું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાનું તથા યોગ્ય ટેક્નિકલ ધોરણોનું પાલન ન થતું હોવાના આક્ષેપો કરાયા છે. કામ દરમિયાન જરૂરી પાણીનો છંટકાવ ન થતો હોવા, યોગ્ય પ્રમાણમાં મટીરિયલનો ઉપયોગ ન થતો હોવા તેમજ ઉતાવળમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. જેના કારણે સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
ગૌચર જમીન પર થયેલી કામગીરી, આર.સી.સી. રોડના નિર્માણ અને ગ્રામ પંચાયતના નવા મકાનના બાંધકામમાં ગેરરીતિઓ થઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે અરજદારે નિષ્પક્ષ, તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠાવી છે. સાથે જ જો તપાસમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા, સત્તાનો દુરુપયોગ કે સરકારી નાણાંના ગેરવપરાશના તથ્યો બહાર આવે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે. હવે સમગ્ર મામલે વહીવટી તંત્ર શું પગલાં ભરે છે અને તપાસમાં શું હકીકતો બહાર આવે છે તેના પર સ્થાનિકોની નજર મંડાઈ છે.
અરજદારે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને આ મામલે કોઈ પણ રાજકીય દબાણ વગર નિષ્પક્ષ, તટસ્થ અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ કરી છે. રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, જો આ તપાસ દરમિયાન સત્તાનો દુરુપયોગ, વહીવટી અનિયમિતતા કે સરકારી નાણાંની ઉચાપત/ગેરવપરાશના તથ્યો અને પુરાવાઓ બહાર આવે, તો આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ સામે કાયદાના શસ્ત્ર ઉગામીને કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારનો આ મામલો સપાટી પર આવ્યા બાદ સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. હવે આ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો પર ઉચ્ચ વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે, તપાસ ક્યારે શરૂ થાય છે અને તેમાં કેવા ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવે છે, તેના પર સમગ્ર પંથકના સ્થાનિક રહીશોની નજર મંડાયેલી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ