'ચર્ચા રોકવા માટે શરતો રાખવી યોગ્ય નથી, સરકાર કોઈ મુદ્દાથી ભાગતી નથી': કિરણ રિજિજુ
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ સંસદમાં ચાલી રહેલા ગતિરોધ પર વિપક્ષને નિશાન બનાવતા કહ્યું કે વિપક્ષે પોતાની વાત ચર્ચા દરમિયાન રજૂ કરવી જોઈએ, પરંતુ ચર્ચા રોકવા માટે શરતો લાદવી એ લોકતાંત્રિક પરંપરાઓ વિરુદ્ધ છે. સંસદમાં
કેન્દ્ર


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ સંસદમાં ચાલી રહેલા ગતિરોધ પર વિપક્ષને નિશાન બનાવતા કહ્યું કે વિપક્ષે પોતાની વાત ચર્ચા દરમિયાન રજૂ કરવી જોઈએ, પરંતુ ચર્ચા રોકવા માટે શરતો લાદવી એ લોકતાંત્રિક પરંપરાઓ વિરુદ્ધ છે.

સંસદમાં પત્રકારો સાથે વાત કરતા કિરણ રિજિજુએ કહ્યું કે જો ગૃહમાં ચર્ચા થાય તો દરેક સાંસદને પોતાની વાત રજૂ કરવાનો પૂરો અધિકાર છે. કોંગ્રેસ હોય કે અખિલેશ યાદવ, બધા પોતાના વિચારો ખુલ્લેઆમ રજૂ કરી શકે છે. તેમણે કહ્યું કે ચર્ચા રોકવા માટે બહાના બનાવવા યોગ્ય નથી.

તેમણે કહ્યું કે સરકાર કોઈપણ મુદ્દાથી ભાગતી નથી. લોકશાહીમાં સરકારની જવાબદારી છે કે તે જનતાને પોતાના કામકાજની જાણકારી આપે અને ગૃહમાં દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર રહે.

સંસદીય કાર્ય મંત્રીએ વિપક્ષને અપીલ કરતા કહ્યું કે, એવું વલણ ન અપનાવો જેથી ગૃહમાં ચર્ચા જ ન થઈ શકે. તેમણે કહ્યું કે સંસદની કાર્યવાહી નિર્ધારિત નિયમો હેઠળ ચાલે છે. પહેલા ચર્ચા થવા દેવામાં આવતી નથી અને પછી એમ કહેવામાં આવે છે કે બોલવાની તક મળી નથી, આ યોગ્ય નથી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande