શરદ પવાર અને સુપ્રિયા સુળે એ, સંસદ ભવનમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરી....
નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના અધ્યક્ષ શરદ પવાર અને લોકસભા સભ્ય સુપ્રિયા સુળે એ બુધવારે, સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ''એક્
નમો


નવી દિલ્હી, 22 જુલાઈ (હિ.સ.) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના અધ્યક્ષ શરદ પવાર અને લોકસભા સભ્ય સુપ્રિયા સુળે એ બુધવારે, સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર મુલાકાતની તસવીરો શેર કરતા જણાવ્યું કે, પવાર અને સુળે એ દિવસ દરમિયાન સંસદ પરિસરમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. જોકે, મુલાકાત દરમિયાન કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, તેની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા મંગળવારે શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુળે કોકરોચ જનતા પાર્ટીના જંતર-મંતર પર નીટ પેપર લીકને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગનું સમર્થન કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande