
ગીર સોમનાથ, 23 જુલાઈ (હિ.સ.) જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોને કલેક્ટરએ રૂબરુ સાંભળી અને પ્રશ્નોનું હકારાત્મક નિવારણ થાય એ દિશામાં સંલગ્ન વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.
અરજદારો દ્વારા સનવાવના જર્જરિત બસસ્ટેન્ડનું ડિમોલેશન કરવા, પી.એમ.કિસાન યોજનાના હપ્તાની સહાય ન મળવા, જમીનના ૭/૧૨ ઓનલાઈન ન નીકળવા, જાહેર રસ્તા પર ગેરકાયદેસર દિવાલ હટાવવા, કાજલી ગામતળના રહેણાંક વિસ્તારના દબાણ દૂર કરવા, બાકી રહેતી શિષ્યવૃતિ મળવા, સન્માન યોજના હેઠળની પડતર અરજી, ગૌચરની જમીન પરના દબાણ દૂર કરવા તેમજ જમીનમાપણી અને ડ્રેનેજને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.
કલેક્ટરએ અરજદારને સંતોષ થાય તે રીતે પ્રશ્નોનું હકારાત્મક વલણથી નિવારણ લાવવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું તેમજ અરજદારો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોનું નિવારણ તાલુકાકક્ષાએ જ થાય અને જિલ્લાકક્ષાએ તેમને આવવું ન પડે તેવી રીતે એકબીજા વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરવા કલેક્ટરએ સૂચના આપી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ