
જમ્મુ, નવી દિલ્હી, 27 જુલાઈ (હિ.સ.). અમરનાથ યાત્રાના 20મા જથ્થામાં 3,823 યાત્રાળુઓ જમ્મુના ભગવતી બેઝ કેમ્પથી સોમવારે બાલટાલ માટે રવાના થયા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, 20મો જથ્થો સવારે 2:47 વાગ્યે 140 વાહનોના કાફલામાં રવાના થયો, જેમાં 82 બસો, 20 મધ્યમ વાહનો અને 38 હળવા મોટર વાહનોનો સમાવેશ થતો હતો. આ જથ્થામાં 2,882 પુરુષ યાત્રાળુઓ, 838 મહિલા યાત્રાળુઓ, બે બાળકો, 84 સાધુઓ અને 17 સાધ્વીઓનો સમાવેશ થાય છે.
આ કાફલો જમ્મુ-કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓની કડક સુરક્ષા વચ્ચે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરથી પસાર થયો. ટ્રાફિક અધિકારીઓએ હાઈવેના સંવેદનશીલ વિસ્તારોમાંથી કાફલાની અવરજવરમાં મદદ કરી, જેથી યાત્રાળુઓની સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરી શકાય.
અધિકારીઓએ જણાવ્યું કે, સોમવારના જથ્થાના રવાના થવા સાથે જ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી વાર્ષિક યાત્રા કરતા યાત્રાળુઓની કુલ સંખ્યા 1,27,326 થઈ ગઈ છે. હિમાલયમાં 3,880 મીટર ઊંચા પવિત્ર ગુફા મંદિરની વાર્ષિક યાત્રા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ચાલી રહી છે. આ દરમિયાન સોમવારે બાલતાલ બેઝ કેમ્પથી કુલ 4,331 યાત્રાળુઓ જમ્મુ પરત ફર્યા.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ