


ગોધરા, 29 જુલાઈ (હિ.સ.) : સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ગોધરા ખાતે આજે ૨૯ જુલાઈ ૨૦૨૬ ના રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ વંદન કાર્યક્રમ યોજાયો.
આજે મહાન ઋષિ અને મહાભારતના રચયિતા મહર્ષિ વેદ વ્યાસજીના પ્રાગટય દિન એટલે ગુરુ પૂર્ણિમાની આજે અષાઢી પૂનમના દિવસે શાળા કક્ષાએ ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રાચીન ગુરુકુળ પ્રથાના ઋષિ મુનિઓથી લઈ સાંપ્રત સમયના શિક્ષક સુધીની ગુરુની ભૂમિકા અને મહત્ત્વ તથા જીવનમાં માર્ગદર્શન માટે તેમના અમૂલ્ય ફાળા વિશે જાણકારી આપવામાં આવી. ત્યારબાદ મહર્ષિ વેદ વ્યાસજીની પ્રતિમાને શિક્ષકશ્રીઓ અને શાળાની દીકરીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાના સાક્ષાત ગુરુ એવા શાળાના શિક્ષકોને પણ પગે લાગી આદરભાવ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ