
સોમનાથ, 01 ઓગસ્ટ (હિ.સ.) પ્રભાસ પાટણ વેરાવળમાં તાજેતરમાં એસ.એમ.સી. દ્વારા જુગારધામ દરોડો પાડ્યો હતો જેમાં વેરાવળના પી.આઇ. જે.એન. ગઢવીને લીવ રીઝૅવમાં મુકાયેલ હતા જેને ફરી પાછા ફરજ લઈ વેરાવળ ખાતે નિમણૂક અપાતા ચૉજ સંભાળ્યો છે.
સ્વચ્છ છબી. પોલીસ તંત્રને ગૌરવરૂપ ઉત્તમ કામગીરી અને મહત્વના ડીટેકશનો. લોકશાહી તથા શિસ્તનો અભિગમ એવા તેઓ ગાંધીનગર ખાતે મે 1985 માં જન્મેલા તેઓ 2010 થી ગુજરાત પોલીસ દળમાં જોડાયા તેઓ પંચમહાલ. આણંદ. એસીબી. એસ.ઓ.જી. તાલાલા ખાતે તેમજ વેરાવળ ખાતે સફળતમ ફરજો બજાવી ચૂક્યા છે
વેરાવળ શહેરના પર્વો- ક્રાઇમ અને કાયદો -વ્યવસ્થા જાળવવામાં તેઓનો બહોળો અનુભવ -કોઠાસૂઝ અને ઉત્તમ કામગીરી ઉપરાંત ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન તથા સાથી સ્ટાફનું સંકલન થી અનેકવિધ ગુન્હાઓ ઉકેલાયા છે તથા કાયદો વ્યવસ્થા જળવાયા છે અને પ્રજાની ખોવાયેલી કે ચોરી થયેલી રકમ મોબાઈલ જાહેર મંચ ઉપરથી ફરિયાદોને અને અરજદારને પરત આપવાનો જે મોટો કાર્યક્રમ થયો જે કાર્ય સોએ બિરદાવ્યું હતું અને જિલ્લા પોલીસ નું ગૌરવ વધાર્યું છે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ