નવસારી/અમદાવાદ,03 જૂન (હિ.સ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગેવાની હેઠળ મિશન લાઇફનો કાર્યક્રમનો શુભારંભ થયો હતો આ મિશન અંતર્ગત વિવિધ બાબતો જેવા કે પાણી બચાવો, ઊર્જા બચાવો, યોગા અને સ્વચ્છ ભારત અભિયાન ને આવરીને લેવામાં આવ્યા છે.
મિશન લાઈફ અંતર્ગત જિલ્લા યુવા અધિકારી અધિકારી રોઘાએ રોજિંદા જીવનમાં શારીરિક તંદુરસ્તી મહત્વ જણાવતા મિલેટ (બાજરી) વિશે લોકોને માહિતી આપી જાગૃત કર્યા હતા. સાથે સ્વચ્છ ભારત અભિયાને પ્રોત્સાહન આપવા દરેક વ્યક્તિને નોન પ્લાસ્ટિક બેગ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા યોગા સંયોજક શ્રીમતી ગાયત્રી તલાટી , યોગ કોચ રવી પરમાર ઉપસ્થિત રહયા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર નવસારી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/