ભુવનેશ્વર, નવી દિલ્હી, 04 જૂન (હિ. સ.) કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા એ રવિવારે ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) ખાતે વરિષ્ઠ ડોકટરો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને સુરક્ષિત રાખવા અને તેમના પરિવારને પરત કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા કરી હતી.
આ સાથે ડૉ. માંડવિયા એ કહ્યું કે, નવી દિલ્હીથી નિષ્ણાત ડૉક્ટરોની ટીમ ભુવનેશ્વર એઈમ્સ પહોંચી રહી છે.
ડૉ. માંડવિયા, આજે સવારે ભુવનેશ્વર પહોંચી ગયા હતા. ભુવનેશ્વર એરપોર્ટથી તેઓ સીધા જ ભુવનેશ્વર એઈમ્સ પહોંચ્યા. ત્યાં તેમણે ઘાયલોની સારવાર વિશે પૂછપરછ કરી.
હિન્દુસ્થાન સમાચાર / સમન્વય / સંજીવ / ડો. હિતેશ /માધવી