તમારો મત આગામી સરકાર નક્કી કરશે, બંધારણના સૈનિક બનોઃ રાહુલ
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદારોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર આવ
ગાંધી


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મતદારોને અપીલ કરી છે કે, તેઓ ઘરની બહાર આવીને બીજા તબક્કા માટે મતદાન કરે.

રાહુલ ગાંધીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર કહ્યું, 'આજે આ ઐતિહાસિક ચૂંટણીનો બીજો તબક્કો છે, જે દેશનું ભાગ્ય નક્કી કરવા જઈ રહ્યું છે. તમારો મત નક્કી કરશે કે, આગામી સરકાર 'થોડા અબજોપતિઓ'ની હશે કે '140 કરોડ ભારતીયોની.’

તેમણે કહ્યું કે,’ આજે દરેક નાગરિકની ફરજ છે કે, તે ઘરની બહાર આવે અને 'બંધારણના સૈનિક' બનીને, લોકશાહીની રક્ષા માટે મતદાન કરે.’

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંહ / અનુપ / માધવી


 rajesh pande