શું અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપવા માટે સેલીબ્રીટીઓ ને પૈસા મળ્યા હતા ? અનન્યા પાંડેએ મૌન તોડ્યું
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ, 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નમાં, બોલિવૂડથી લઈને હોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી. દરમિયાન, એવી અફવાઓ છે કે અંબાણ
અનન્યા પાંડે


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ, 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ શાહી લગ્નમાં, બોલિવૂડથી લઈને હોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી. દરમિયાન, એવી અફવાઓ છે કે અંબાણીના લગ્નમાં હાજરી આપવા માટે ઉચ્ચ-પ્રોફાઇલ સેલિબ્રિટીઓને ચૂકવણી કરવામાં આવી હતી. હવે અભિનેત્રી અનન્યા પાંડેએ, આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન અનન્યા પાંડેને, અનંત લગ્નની સરઘસમાં જોરશોરથી ડાન્સ કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. અનન્યાએ જવાબ આપ્યો, 'તે મારો મિત્ર છે. મને સમજાતું નથી કે લોકો આવું કેમ વિચારે છે. અલબત્ત હું મારા મિત્રોના લગ્નમાં મારા દિલથી ડાન્સ કરીશ. મને પ્રેમની ઉજવણી કરવી ગમે છે.

અનન્યા પાંડે, હાલમાં જ વેબ સિરીઝ 'કોલ મી બે'માં જોવા મળી હતી. કરણ જોહરના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર પ્રીમિયર થઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિત નિગમ / ડો. માધવી

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande