ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનને, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો એક ઇમેઇલ મળ્યો હતો, પરંતુ તપાસમાં કંઈ બહાર આવ્યું નથી.
ચેન્નઈ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) ચેન્નઈના માયલાપુરમાં, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીએ, સરકારને ખળભળાટ મચાવી દીધો છે. એક અજાણ્યા વ્યક્તિએ પોલીસને, ઈમેલ મોકલીને ધમકી આપી હતી.
ધમકી


ચેન્નઈ, નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.)

ચેન્નઈના માયલાપુરમાં, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનના નિવાસસ્થાનને બોમ્બથી

ઉડાવી દેવાની ધમકીએ, સરકારને ખળભળાટ મચાવી દીધો છે. એક અજાણ્યા વ્યક્તિએ પોલીસને,

ઈમેલ મોકલીને ધમકી આપી હતી. ત્યારબાદ, પોલીસે સતર્કતા સાથે તેમના આખા નિવાસસ્થાનની તપાસ કરી પરંતુ

કોઈ વિસ્ફોટક મળ્યો નહીં.

નવી દિલ્હી, બેંગલુરુ અને ચેન્નઈ જેવા મુખ્ય શહેરોમાં શાળાઓ, સેલિબ્રિટીઓ અને

અગ્રણી વ્યક્તિઓના ઘરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સામાન્ય બની ગઈ છે. શુક્રવારે, ચેન્નઈના એસ્ટેટ

પોલીસ સ્ટેશનને એક ઇમેઇલ મળ્યો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે,” શહેરના માયલાપુર

વિસ્તારમાં ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર બોમ્બ મૂકવામાં આવ્યો છે.” તાત્કાલિક, વરિષ્ઠ અધિકારીઓએ

માહિતીને ગંભીરતાથી લીધી. થોડા સમય પછી, બોમ્બ નિષ્ક્રિય નિષ્ણાતો અને સ્નિફર ડોગ સાથે વરિષ્ઠ પોલીસ

અધિકારીઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા. પોલીસે તેમના આખા નિવાસસ્થાનની સઘન તપાસ કરી

પરંતુ કંઈ મળ્યું નહીં.

વીઆઈપી સુરક્ષા ધોરણો અનુસાર, અધિકારીઓ પોઈસ ગાર્ડન સ્થિત તેમના વર્તમાન

નિવાસસ્થાને પણ પહોંચ્યા,

પરંતુ તેમના

એપાર્ટમેન્ટને તાળું મારી દેવામાં આવ્યું હતું. તેથી, શોધખોળ હાથ ધરી

શકાઈ ન હતી. આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યા પછી, પોલીસ અધિકારીઓએ તેને મજાક માની અને પાછા

ફર્યા. પોલીસ આ ધમકીભર્યા ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આ વર્ષે

સપ્ટેમ્બરમાં પદ સંભાળ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર,”તેમણે માયલાપુરનું

પોતાનું ઘર ખાલી કરી દીધું છે. તેમને લગભગ એક વર્ષ પહેલા આવી જ ધમકી મળી હતી. તેઓ

હાલમાં ચેન્નઈના મુખ્ય પોએસ ગાર્ડન વિસ્તારમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / સુનિલ

સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande