ગાંધીનગરમાં પંચેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ, દિવાળી - નૂતન વર્ષની ભવ્ય ઉજવણી 
ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગરના રાયસણના પંચેશ્વર મંદિરમાં ભગવાનનો છપ્પન ભોગ અન્નકુટ મહોત્સવ યોજાયો હતો. સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોના સૌ નાગરિક ભાઇબહેનો દર્શન અને અન્નકુટના પ્રસાદનો લાભ લેવા પધારવા હતા. કાળીચૌદશ એ હનુમાનજી મહારાજનો જ
ગાંધીનગરમાં પંચેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ, દિવાળી - નૂતન વર્ષની ભવ્ય ઉજવણી 


ગાંધીનગર, 24 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગરના રાયસણના પંચેશ્વર મંદિરમાં ભગવાનનો છપ્પન ભોગ અન્નકુટ મહોત્સવ યોજાયો હતો. સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોના સૌ નાગરિક ભાઇબહેનો દર્શન અને અન્નકુટના પ્રસાદનો લાભ લેવા પધારવા હતા.

કાળીચૌદશ એ હનુમાનજી મહારાજનો જન્મ દિવસ હોઇ પંચેશ્વર મંદિરમાં કાળીચૌદશના દિવસે સવારે ૧૦ વાગે અને રાત્રે ૯ વાગે શ્રી સુંદરકાંડનું સમુહ ગાન કરવામાં આવ્યું હતું.

દિવાળીના દિવસે રાત્રે આ વિસ્તારના રહીશો સમૂહમાં પંચેશ્વર મંદિર આવીને મંદિરના પટાંગણમાં રંગબેરંગી ફટાકડા ફોડી આતશબાજી કરી દિવાળીની ઉજવણી કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande